નર્મદાપરિક્રમા Narmda Parikarma
જેવી રિતે ગિરનાર ની લીલી પરિક્રમા નું મહત્વ છે તેવી જ રીતે ચૈત્ર માસમાં નર્મદા મૈયાની પરિક્રમા નું ખુબ જ પાવન કારી પરિક્રમા કરવા મા આવે છે.
ટોટલ ૩ વર્ષ અને ૩ મહિના થાય આ પરિક્રમા ટોટલ ૩૦૦૦ કિમી થાય છે જો પુરી પરિક્રમા કરો (અમરકંટક થી શરૂ કરીને) ગુજરાત માં ઉત્તરવહીની નર્મદા પરિક્રમા નું મહત્વ છે જે ચૈત્ર માસમાં (એપ્રીલ થી મેં)થાય છે જેમાં ફક્ત ગુજરાત પ્રાંત માં આવેલ રામપુરા ગામ થી તિલકવાડા ગામ વચ્ચે છે જે અંદાજે ૧૮ કિમી છે. નર્મદા માં ની પરિક્રમા કોઈ ૨૧ દિવસ કોઈ ૭કે કોઈ ૧૫ દિવસ કરે છે અને નર્મદા માં ના રેવા તેમજ નર્મદા રૂપ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ઉત્તરવહીની નામ જ દર્શાવે છે કે નર્મદા માં નો પ્રવાહ ઉતર તરફ વહે છે જ્યારે મુખ્ય નર્મદા પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે.
માન્યતા એવી પણ છે કે આ ઉત્તરવહીની નર્મદા પરિક્રમા ત્રણ વખત કરવામાં આવે તો આખી નર્મદા પરિક્રમા જેટલું જ ફળ મળે છે.
सबिंदु सिन्धु सुस्खल तरंग भंग रंजितम
द्विषत्सु पाप जात जात कारि वारि संयुतम ।
कृतान्त दूत काल भुत भीति हारि वर्मदे
त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे ।।
નર્મદે હર 🙏
નમામિ દેવી નર્મદે 🙏
राहुल पंडया -राह' (RR)
Comments
Post a Comment